જૂનો પરંપરાગત મેળો : જોન બીલ મેળો

 


વિશ્વનો સૌથી વિચિત્ર મેળો

એકપણ રૂપિયા વગર અઢળક વસ્તુઓ ખરીદી શકાય છે તે પ્રથા હજુ સુધી જીવંત રાખી છે. મકરસંક્રાંતિના કેટલાક દિવસ પહેલાં તિવા, કારબી, ખાસી અને જૈન્તિયા સમુદાયના આદિવાસી લોકો આસપાસના ડુંગરમાંથી વસ્તુઓ લઈને આવી જાય છે. આ મેળામાં આદું, વાંસ, કોળું, હળદર, અગાધ ય વનસ્પતિઓ, સૂકી માછલી અને પીઠા (ભાતની વસ્તુના બદલામાં 'મીઠું, તેલ, કપડાં-વાસણો અને જે કુદરત પાસેથી નથી મળતી તેવી વસ્તુઓ લે છે.વેચવામાં આવે છે.

આસામમાં દરવર્ષે એક વિચિત્ર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમે વૉલેટ,ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ લીધા વગર જાઓ તો પણ ચાલે. હા, બરાબર વાંચ્યું. 

આ વિશ્વનો એકમાત્ર એવો મેળો છે કે જ્યાં રૂપિયાથી વ્યવહાર કરવામાં આવતો નથી. અહીં લોકો બાર્ટર સિસ્ટમથી વ્યવહાર કરે છે.

આદિવાસીઓ તેમની વસ્તુના બદલે વસ્તુ લેવામાં આવે છે.ક્રિપ્ટો કરન્સીના યુગમાં પૈસા વગર પણ વસ્તુ ખરીદી શકાય તે માત્ર ભારતમાં જ શક્ય બને છે. આ એક પ્રકારે બિઝનેસ ઇવેન્ટ જ છે કે, જ્યાં વિશ્વની સૌથી જૂની વેપાર પદ્ધતિ હજુ પણ ચાલુ રાખવામાં આવી છે.

મોરીગાંવના ભાજપના ધારાસભ્ય રામ કનતાદેવરી જણાવે છે કે, ‘મેં લગભગ જોનબીલ મેળાનું ૧૨ કિલોગ્રામ પહાડી મરી લીધી.હું નાનપણથી જઆ મેળામાં આવું છું. આજના સમયમાં આ મેળો વધુ વિકસિત બન્યો છે અને સમૃદ્ધ થયો છે. અહીં તમને ઘણી એવી દુર્લભ પ્રોડક્ટ મળે છે જે તમને બીજે ક્યાંય નહીં મળે.

પહાડી આ મેળામાં વાજબી વ્યવહાર સહિત વેપાર અર્થશાસ્ત્રના તમામ કાયદાઓની અવગણના કરે છે. મોરીગાંવના સ્થાનિક સ્વરૂપ રૂપાલી બોરદોલોઈ જણાવે છે કે, હું નાનપણથી આ મેળામાં આવું છું. અમે ચીરા (ચપટા ચોખા), સૂકી માછલી, પીછા અને પહાડી આદું, હળદર, તજ અને મરી વગેરે વસ્તુઓમાં ખાસ કરીને મરચા,બદલીને લઈએ છીએ. તે આખું વર્ષ ચાલે છે. અમે પૈસા માટે લડતા-ઝઘડતા નથી. અહીં બધું જ વિશ્વાસ અને અમારી મિત્રતા પર આધારિત છે. કોઈપણ વ્યક્તિ અહીં પૈસાથી સોદો કરતું નથી. જેમ કે, બે ભાગ હળદર માટે બે પીઠા અને ૧૦ ભાગ હળદર માટે ૧૦ પીઠા લેવામાં આવે છે. અહીં પહેલાંનું સરળ અને ક્રમબદ્ધ અર્થશાસ્ત્ર વાપરવામાં આવે છે.

આસામમાં જોવા મળતી ઘણી તિબેટો-બર્મન જાતિઓને તેમના રહેઠાણને આધારે વિભાજિત કરવામાં આવી છે. પહાડી વિસ્તારમાં રહેતા તિવાસ અને મેદાની વિસ્તારમાં રહેતા તિવાસ.બંને જાતિની ભાષા અને સંસ્કૃતિ અલગ અલગ છે.

દર વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવે છે,જેમાં વર્ષો જૂની બાર્ટર એટલે કે અદલાબદલીની વેપાર પ્રથા જ ચાલે છે આદિવાસી લાખ અને ધુણા લાવે છે. મેં તેમને પીઠા આપીને અદલાબદલી કરી. અર્ધચંદ્રાકાર ચંદ્ર આકારના તળાવના કિનારે યોજાયેલો હતો તેથી તેને જોન (ચંદ્ર) બીલ (તળાવ) મેળો નામ આપવામાં આવ્યું હતું. આમેળો ૧૫મી સદીમાં પૂર્વગોભા રાજ્યના આશ્રય હેઠળપડોશી મેઘાલયના જયંતિયા રાજાની ભાગીદારી સાથે ત્રણ દિવસીય કાર્યક્રમ યોજ્યો હતો. મધ્ય આસામ અને મેઘાલયના આદિવાસી તિવા સમુદાયે વિશ્વની સૌથી જૂની વેપાર પદ્ધતિ



Post a Comment

0 Comments